Admission
શાળાના નિયમો
- સરકારશ્રીના નિયમોને આધિન રહીને ઉંમર, લાયકાત અને વર્તણૂક જોઈને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
- દરેક વિદ્યાર્થીએ શાળાનો નિયત કરેલ યુનિફોર્મ પહેરીને આવવું ફરજિયાત છે.
- જે તે સત્રમાં હાજરી પુરતી નહીં થાય તો વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
- શાળા સમય દરમિયાન આચાર્યશ્રીની પરવાનગી વગર કોઈ વાલી પોતાના સંતાનને મળી શકશે નહિ તેમજ વર્ગખંડમાં જઈ શકશે નહિ.
- અનિવાર્ય સંજોગોમાં વિધાર્થીને ચાલુ શાળાએથી લઈ જવાનું થાય તો વાલીશ્રીને આપેલ આઈકાર્ડ લઈને જ આવવાનું રહેશે.
- સતત ગેરહાજર રહેનાર તેમજ અયોગ્ય વર્તણૂક કરનાર વિદ્યાર્થીનું નામ કમી કરવામાં આવશે.
- શાળા પરિસરમાં વાલીશ્રીનું સભ્ય વર્તણૂક ખૂબ જ અપેક્ષિત છે તેમજ સંસ્થાનાં દરેક કર્મચારીગણ સાથે રજૂઆત વિનમ્રતાપૂર્વક કરવાની રહેશે.
- વાલીશ્રીઓએ વિદ્યાર્થીની કોઈપણ પ્રકારની ફરિયાદ સીધી શિક્ષકને નહિ કરતા આયાર્યશ્રી / સુપરવાઈઝરશ્રીને કરવાની રહેશે.
- શાળાના કોઈપણ કામ માટે સીધા જ વર્ગખંડમાં ન જતા ઓફિસનો સંપર્ક કરવો.
- સંસ્થાની મિલકતને કોઈપણ પ્રકારનું નુકસાન કરનાર વિદ્યાર્થી જવાબદાર ગણાશે તેમજ નુકસાની વાલીએ ભરપાઈ કરવાની રહેશે તથા જાણી જોઈને નુકસાન કરેલ જણાશે તો શાળામાંથી પ્રવેશ રદ કરવામાં આવશે.
- વિદ્યાર્થી દાગીના, કિંમતી વસ્તુ, મોબાઈલ અન્ય મનોરંજન અને ઈલેક્ટ્રોનિક્સ સાધનો / વસ્તુઓ શાળામાં લાવી શકરશે નહિ.
- વિદ્યાર્થીને શાળાની બસમાં આવતા - જતા, પ્રયોગ કરતા, રમતા કે અન્ય પ્રવૃત્તિ કરતા જો કોઈપણ પ્રકારનો અકસ્માત કે ઈજા થાય તો જવાબદારી સંસ્થાની રહેશે નહિ.
- બીજા વિદ્યાર્થીને હેરાન કરતા જણાશે તો પ્રવેશ રદ કરવામાં આવશે.
- ચાર દિવસ કરતા વધુ લાંબી બિમારી હોય તો મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
- શાળા દ્વારા યોજાતી વાલી મિટીંગમાં વાલીશ્રીએ અચૂક હાજર રહેવાનું રહેશે.
- વાલીશ્રીઓએ ફીની રકમ નિયત સમયે બે હપ્તામાં ભરવાની રહેશે.
- શાળાની બસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે ડ્રાઈવર, કન્ડક્ટર કે અન્ય કર્મચારી સાથે ગેરવર્તન કરવું નહિ, બસમાં કોઈપણ પ્રકારનું નુકશાન કરવું નહિ.
- શાળાની બસમાં આવનાર વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલ પોઈન્ટ વાલીને માન્ય રહેશે તેમજ પોઈન્ટમાં ફેરફાર / બસ બંધ કરવાનો અધિકાર શાળા સંચાલક મંડળનો રહેશે.
- શાળામાંથી પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થીનું લીવીંગ સર્ટી અરજી કર્યાના સાત દિવસ પછી મળશે.
- શાળા છોડવા ઈચ્છતા વિદ્યાર્થીઓના વાલીશ્રીઓએ ૩૦મી એપ્રિલ સુધીમાં લીવીંગ સર્ટી કઢાવવાની અરજી કરવાની રહેશે અન્યથા નવા સત્રની એક માસની ફી ભરવાની રહેશે.
- શાળા દ્વારા નક્કી કરવામાં આવેલ એક્ટિવીટીમાં ફેરફાર કરવાનો અધિકાર સંસ્થાનો રહેશે.
- વાલીશ્રીઓએ વિદ્યાર્થીઓનો શાળા યુનિફોર્મ, પી.ટી. યુનિફોર્મ, સ્વેટર, સ્કેટીંગ, સ્વીમીંગ કોસ્ચ્યુમ, પાઠયપુસ્તક, નોટ-બુક, પ્રવાસખર્ચ વગેરેના રૂપિયા અલગથી ભરવાના રહેશે જેનો શાળા ફીમાં સમાવેશ કરવામાં આવેલ નથી.
- શાળામાં આધાર તરીકે ખોટું એફીડેવીટ, દાખલો કે અન્ય પ્રમાણપત્ર રજૂ કરનાર વાલીની સંપૂર્ણ જવાબદારી રહેશે. આ બાબતે સંસ્થા જવાબદાર રહેશે નહીં.
- શાળામાં નવો પ્રવેશ લેનાર વિધાર્થીનો સત્ર શરૂ થયા પહેલા વાલી દ્વારા પ્રવેશ રદ કરાવવામાં આવશે તો એક માાની ફી કાપીને બાકીની ફી પરત આપવામાં આવશે.
- શાળાનાં સંચાલકો દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે.
શાળાનો સમય :
જુ.કે.જી., સી.કે.જી.: ૯:૧૫ થી ૧:૫૦
ધોરણ : ૧ થી ૫: ૯:૧૫ થી ૩:૩૦
ધોરણ : ૬ થી ૧૦ અને ૧૧, ૧૨ (કોમર્સ): ૭:૩૦ થી ૧:૫૦
ધોરણ ૧૧, ૧૨ (સાયન્સ): ૭:૩૦ થી ૩:૩૦
ધોરણ ૧૧, ૧૨ (સાયન્સ) અંગ્રેજી માધ્યમ (GSEB): ૭:૩૦ થી ૩:૩૦
- શાળાના સમયમાં ફેરફાર કરવાનો અધિકાર શાળા સંચાલક મંડળનો રહેશે.
- ઉપરના તમામ નિયમો મેં વાંચ્યા છે, સમજ્યાં છે જેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની હું બાંહેધરી આપું છું.